Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારત-શ્રીલંકા વન-ડે સીરીઝની તારીખ જાહેર, ૧૮ જૂલાઈએ રમાશે પહેલી મેચ

વન-ડે સીરીઝ
આ સિરીઝ ૧૮થી ૨૯ જુલાઈ વચ્ચે રમાશે

કોલંબો : ભારત અને શ્રીલંકા વચ્ચેની લિમિટેડ ઓવર્સ સિરીઝની નવી તારીખો જાહેર થઈ ગઈ છે. આ સિરીઝ ૧૮થી ૨૯ જુલાઈ વચ્ચે રમાશે. શ્રીલંકન સ્ક્વૉડમાં કોરોના આઉટ બ્રેક થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પહેલા આ સિરીઝ ૧૩થી ૨૫ જુલાઈ વચ્ચે રમાવાની હતી. BCCIએ અત્યારસુધી મેચોની તારીખ જાહેર કરી નથી.

પરંતુ મીડિયાના અહેવાલો પ્રમાણે, પહેલી વનડે ૧૮ જુલાઈ, બીજી ૨૦ અને અંતિમ ૨૩ જુલાઈએ રમાઈ શકે છે. બોર્ડ ટૂંક સમયમાં મેચનું ટાઇમ ટેબલ બહાર પાડી શકે છે.

વનડે સિરીઝની પહેલી મેચ ૧૩ જુલાઈ, બીજી ૧૬ જુલાઈ અને ત્રીજી વનડે ૧૮ જુલાઈએ રમાવાની હતી, જે બાદ ટી-૨૦ સિરીઝ રમાવાની હતી

પહેલા શિડ્યૂલ મુજબ, વનડે સિરીઝની પહેલી મેચ ૧૩ જુલાઈ, બીજી ૧૬ જુલાઈ અને ત્રીજી વનડે ૧૮ જુલાઈએ રમાવાની હતી.

જે બાદ ટી-૨૦ સિરીઝ રમાવાની હતી. શ્રીલંકન ક્રિકેટ બોર્ડ (SLC)એ હવે બીસીસીઆઈની સામે ૧૭,૧૯ અને ૨૧ જુલાઈના રોજ ૩ મેચ રમાડવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તો ટી-૨૦ ટૂર્નામેન્ટ ૨૪,૨૫ અને ૨૭ જુલાઈના રોજ રમાઈ શકે છે.

આ અંગે બીસીસીઆઈ નિર્ણય કરશે  શ્રીલંકા માટે ચિંતાની વાત એ છે કે બેટિંગ-કોચ ગ્રાંટ ફ્લાવર અને એનાલિસ્ટ જીટી નિરોશન બંને ડેલ્ટા વેરિયન્ટથી પોઝિટિવ થયા છે. કોરોનાનો આ વેરિયન્ટ સૌથી વધુ સંક્રમક અને ખતરનાક છે.

શ્રીલંકાના ખેલાડીઓને શુક્રવારે જ આઈસોલેશનથી બહાર આવવાનું હતું, પરંતુ હવે ટીમને બે દિવસ વધુ રાહ જોવી પડશે.

આ વચ્ચે તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના વધુ એક વખત આરટી-પીસીઆર ટેસ્ટ થશે. એનાં પરિણામ આવ્યાં બાદ જ નિર્ણય લેવાશે કે ભારત વિરુદ્ધ સિરીઝમાં કયા કયા ખેલાડી ભાગ લેશે. કોરોનાની આ સ્થિતિને જોતાં શ્રીલંકાના બોર્ડે પહેલાંથી વૈકલ્પિક પ્લાન તૈયાર કરી રાખ્યો છે.

ખેલાડીઓનાં વધુ બે અલગ-અલગ જૂથ બાયો બબલમાં રાખવામાં આવ્યાં છે. એક ગ્રુપ કોલંબોમાં અને બીજો દાંબુલામાં હાજર છે. જરૂર પડશે તો આ ગ્રુપમાં હાજર ખેલાડીઓને ભારત વિરુદ્ધ સિરીઝમાં ઉતારવામાં આવી શકે છે.

શ્રીલંકાની ટીમ એક મેડિકલ સ્ટાફે જણાવ્યું, હાલ એ કહેવું ઉતાવળિયું હશે કે ભારત વિરુદ્ધ કયા ખેલાડી રમશે. બોર્ડ અને મેડિકલ ટીમ સ્થિતિ પર ઓબ્ઝર્વ કરી રહ્યાં છે. આર-પીસીઆર ટેસ્ટના બીજા રાઉન્ડ બાદ કંઈ કહી શકાશે. ગ્રાંટ ફ્લાવર અને જીટી નિરોશન બંને ઈંગ્લેન્ડમાં જ પોઝિટિવ થયા છે. તેઓ અન્ય ખેલાડીઓને પણ મળતા રહ્યા છે, એ દૃષ્ટિએ અન્ય ખેલાડીઓ પણ સંક્રમિત થશે એવી આશંકા છે.

ફોલ્સ નેગેટિવ રિપોર્ટથી બચવા માટે બોર્ડ એક રાઉન્ડના ટેસ્ટિંગ કરાવી રહ્યું છે.

PM મોદી ટોક્યો ઓલિમ્પિકમાં જતાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે, આપશે ગુરુમંત્ર

Related posts

ભારતનો ઈંગ્લેન્ડ સામે ચેન્નઈ ટેસ્ટમાં ઐતિહાસિક વિજય : સિરીઝ ૧-૧થી બરાબર…

Charotar Sandesh

બાલરો યોગ્ય પ્રદર્શન કરશે તો ભારત જીતનું પ્રબળ દાવેદાર ઃ રહાણે

Charotar Sandesh

ગર્ભવતી હાથણી સાથે અમાનવીય ઘટના પર આખા દેશ હિત હવે ક્રિકેટ જગતમાં આક્રોશ…

Charotar Sandesh