આણંદ : કલા જીવનને ” સત્યમ શિવમ સુન્દરમ “થી સમન્વિત કરે છે. તેના દ્વારા જ આત્માનું સત્ય સ્વરૂપ ઝળકે છે. “કલાઓ મે કલા, શ્રેષ્ઠ – કલા વહ હે ચિત્રકલા. મનુષ્ય સ્વભાવસે હી અનુકરણ કી પ્રવૃત્તિ રખતા હૈ ઐસા અપને રંગો સે ભરી તુલિકા સે ચિત્રકાર જન ભાવનાઓકી અભિવ્યક્તિ કરતા હૈ “.
આ પંક્તિને સાર્થક કરતા ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના આચાર્ય શ્રી કાર્તિકભાઈ પટેલના પ્રોત્સાહન દ્વારા ધોરણ ૯ માં અભ્યાસ કરતી રાહી જયેશભાઈ પટેલનો ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી આયોજિત રાજ્ય કલા પ્રદર્શન સ્પર્ધામાં વિજેતા બનીને ઇનામ મેળવીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. જેમાં કો-ઓર્ડીનેટર મેઘનાબેન ગજ્જર અને ચિત્ર શિક્ષિકા રંજનબેન ભોઇએ તેમને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
Other News : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આણંદના બીએપીએસ મંદિરની મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા