Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

લશ્કરમાં ભરતી પૂર્વે યોજાનાર પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા અરજી કરે

લશ્કર

આણંદ : આણંદ જિલ્લાના યુવાનો માટે લશ્કરમાં ભરતી પૂર્વે સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના હેઠળ નિવાસી તાલીમ વર્ગ શરૂ થનાર છે. આ નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ફક્ત અપરણિત પુરૂષ ઉમેદવારો કે જેમણે ગોધરા ખાતે યોજાનાર લશ્કરી ભરતી મેળામાં ઓન લાઈન અરજી કરેલ હોઈ તેમણે જરૂરી શૈક્ષણીક લાયકાત ધો-૮ પાસ દરેક વિષયમાં ૩૩ટકા માર્ક્સ અને ધો-૧૦ પાસ ઉમેદવારો ૪૫ ટકા સાથે દરેક વિષયમાં ૩૩ ટકા માર્ક્સ તથા ધો-૧૨ પાસ ૬૦ ટકા દરેક વિષયમાં ૫૦ ટકા માર્ક્સ મેળવેલ હોવા જોઈએ.

શારીરિક ક્ષમતા ઉચાઇ : ૧૬૮ સેમી, છાતી : ૭૭ સેમી ફુલાવ્યા વગર, ૮૨ સેમી ફુલાવીને, વજન-૫૦ કિલોગ્રામ હોવું જોઈએ.

ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા તમામની બે ઝેરોક્ષ કોપી અને ૪ પાસપોર્ટ સાઈઝનાં ફોટોગ્રાફ, બેંક પાસબુકની બે ઝેરોક્ષ કોપી સાથે તારીખ:૧૫/૦૭/૨૦૨૧ ગુરુવારનાં રોજ સમય: ૦૬:૩૦ કલાકે સવારના સ્થળ:ગુરુકુલ એકેડમી, મોટા બજાર નજીક, કરમસદ રોડ વલ્લભ વિદ્યાનગર ખાતે હાજર રહેવા અંગેની જાણ કરવામાં આવે છે.

વધુ વિગતો માટે રોજગાર સેતુ કોલ સેન્ટર મો-૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા આણંદના જિલ્લા રોજગાર અધીકારીએ એક યાદીમાં જણાવ્યું છે.

Other News : આણંદ : પુરી-ગાંધીધામ એક્ષપ્રેસમાંથી ચાર શખ્સો ૪૦ કિલો ગાંજા સામે પકડાયા

Related posts

આણંદ-ખેડા જિલ્લામાં તોલમાપ વિભાગ દ્વારા ૭૯૩ એકમોની તપાસણી હાથ ધરવામાં આવી…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૧૬ દર્દીઓ સાજા થયા અને ત્રણ દર્દીઓ મૃ્ત્યુ પામતા હાલ ૩૯ દર્દીઓ સારવાર હેઠળ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોનાને લઈ પ્રથમ મોત : ઉમરેઠના પોઝિટિવ દર્દીનું થયું દુઃખદ નિધન…

Charotar Sandesh