આણંદ : તા. ૨૨ માર્ચ નાં રોજ દર વર્ષે સમગ્ર વિશ્વમાં “વિશ્વ જળ દિવસ” તરીકે ઉજવાય છે. આ કાર્યક્રમ અંતર્ગત શ્રી ભીખાભાઈ પટેલ આર્ટસ કોલેજ, એમ.બી.પટેલ સાયન્સ કોલેજ, વી.પી એન્ડ આર પી.તી.પી.સાયન્સ કોલેજ, બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ,નલિની આર્ટ્સ કોલેજ ની કુલ ૫૦ કેડેટ દ્વારા ” જળ હી જીવન” ‘જલ હૈ તો કલ હૈ’ નાં શીર્ષક હેઠળ વિવિધ પ્રવૃત્તિ ઓ જેમ કે પોસ્ટર બનાવવા, નાટક તેમ જ વક્તવ્ય દ્વારા જાહેર જનતાને પાણી બચાવવા અપીલ કરવામાં આવી અને એ સંદેશ નો પ્રસાર કરવામાં આવ્યો કે આજ નું બચાવેલું જલ તમારી આવતી કાલ બચાવશે. પાણી નો વ્યર્થ વ્યય ન કરવો જોઈએ એમ પણ કહેવામાં આવ્યું.
આ કાર્યક્રમ ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન સી સી આણંદ નાં કમાન્ અધિકારી શ્રી કર્નલ રીષિ ખોસલા નાં માર્ગદર્શન થી લેફટનેન્ટ કૃતિકા દેવમુરારિ અને કેર ટેકર જિસલ પરમાર, તેમજ જાગૃતિ મિશ્રા એ સફળતાથી કર્યો હતો. આ સમસ્ત કાર્યક્રમ કૉવિદ-૧૯ ની ગાઈડ લાઇન ને ધ્યાન માં રાખીને” માસ્ક અને સામાજિક દૂરી” જાળવીને કરાયો હતો.