સુરેન્દ્રનગર : માધ્યમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સુરેન્દ્રનગરના મહામંત્રી શ્રી ભગીરથસિંહ રાણા દ્વારા પ્રશંસનીય કાર્ય કરવામાં આવેલ છે જેમાં એક વિદ્યાર્થીને દત્તક લીધી છે.
જેમાં તેની સાથે તેના તમામ ખર્ચ ને ધોરણ ૯ થી ૧૨ સુધી ઉપાડવાના શુભ સંકલ્પ ને સાર્થક કરવા પોતાના વતન ઝાપોદડ ની પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં ભણતી રોજાસરા અંજલીબેન દિલીપભાઈને દત્તક લીધેલ છે. જે કાર્યને સૌએ બિરદાવેલ છે.