Charotar Sandesh
ઈન્ડિયા

સુપ્રિમ કોર્ટની ચેતવણી અમને આકરા નિર્ણયો લેવા પર મજબૂર ન કરો…

ન્યુ દિલ્હી : દિલ્હીને ઓક્સિજન સપ્લાઈને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચેતવણી આપતા કહ્યું કે, અમને આકરા નિર્ણય લેવા માટે મજબૂર ન કરો. દિલ્હીને દરરોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજનને લઈને સુપ્રીમ કોર્ટે આ વાત કહી છે. દિલ્હી સરકાર તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેમના આદેશ બાદ પણ દરરોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાઈ કરવામાં આવી રહી નથી. સર્વોચ્ચ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો કે, તેણે દિલ્હીને ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાઈ નક્કી કરવી પડશે. કોર્ટે કહ્યું કે, તેમણે આ સપ્લાઈ ત્યાં સુધી ચાલું રાખવી પડશે, જ્યાં સુધી આદેશની સમીક્ષા કરવામાં ન આવે કે કોઈ ફેરફાર ન કરવામાં આવે.
શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી સરકારના વકીલ રાહુલ મેહરાએ કહ્યું કે ગઈકાલે (ગુરુવારે) દિલ્હીને ફક્ત ૫૨૭ મેટ્રિક ટન ઓક્સિજન મળ્યો છે. આ અંગે ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે ગત દિવસે કેન્દ્રને સોગંદનામું આપવામાં આવ્યું છે કે ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન પૂરા પાડવામાં આવ્યો છે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે દિલ્હીને માત્ર એક દિવસ નહીં પણ ૭૦૦ એમટી ઓક્સિજન મળવું જોઈએ. સમિતિનો અહેવાલ આવશે ત્યારે જોઈશું.
કોર્ટમાં કેન્દ્ર સરકારનો પક્ષ રાખી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાને બેંચે કહ્યુ, અમને કોઈ કડક નિર્ણય લેવા પર મજબૂર ન કરો. આદેશ છે કે દરરોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાઈ નક્કી કરે. આ પહેલા ગુરૂવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, દિલ્હીમાં કોરોના દર્દીઓની જરૂરીયાતો પૂરી કરવા માટે દરરોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન આપવો જોઈએ. કોર્ટે કહ્યું, જો કંઈ છુપાવવા માટે નથી તો પછી સરકાર આગળ આવી દેશને તે જણાવે કે કઈ રીતે કેન્દ્ર સરકાર તરફથી ઓક્સિજનની ફાળવણી કરવામાં આવી રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે દરરોજ રાજધાની માટે ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાઈની માંગ કરી છે. તેમનું કહેવું છે કે દિલ્હીને દરરોજ ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજન મળે છે તો તે નક્કી કરશે કે પ્રદેશમાં કોઈ દર્દીનું મોત ઓક્સિજનની કમીને કારણે ન થાય. અરવિંદ કેજરીવાલે ગુરૂવારે કહ્યુ, જો અમને ઓક્સિજન પૂરતો મળે છો તો પછી અમે દિલ્હીમાં ૯ હજારથી ૯૫૦૦ બેડની વ્યવસ્થઆ કરી શકશુ. અમે ઓક્સિજન બેડ તૈયાર કરી શકીશું. હું તમને લોકોને વિશ્વાસ અપાવુ છું કે ૭૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાઈ થવા પર દિલ્હીમાં ઓક્સિજનની કમીથી કોઈ દર્દીના મોત થશે નહીં.

Related posts

એર ઈન્ડિયા દ્વારા ગુજરાત સહિત દરેક રાજ્યની ગાઈડલાઈન જાહેર કરી

Charotar Sandesh

જમ્મૂ-કાશ્મીરમાં ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ : લોકોમાં ફફડાટ…

Charotar Sandesh

બિહાર-ઉત્તરપ્રદેશમાં વરસાદ અને વીજળી પડવાથી ૨૫ લોકોના મોત…

Charotar Sandesh