Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં કોરોના માટે ચાર અતિથિ ગૃહને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવશે : નીતિન પટેલ

વડોદરા : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે વડોદરામાં ફેલાતાં કોરોના સંક્રમણને લઇને ઉચ્ચરસ્તરીય બેઠક યોજી હતી. ત્યારબાદ પત્રકારોને સંબોધતા નીતિન પટેલે કહ્યું કે વડોદરામાં હવે અમદાવાદની જેમ કોરોના રેપિડ ટેસ્ટ માટેના કેમ્પ બનશે અને ચાર અતિથિ ગૃહને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે છેલ્લા દસેક દિવસથી ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તેમજ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોરોના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં પણ બીજા તબક્કાનું કોરોના સંક્રમણને કારણે કેસોની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતમાં દિવાળી પછીનો એક સમય સારો આવ્યો હતો કે રાજ્ય સરકારની અને ખાનગી હોસ્પિટલની પથારી ખાલી થઈ ગઈ હતી. કોરોનાનાં લક્ષણો ધરાવતાં દર્દીઓ ઓછા આવતા હતા. પણ કમનસીબે સમગ્ર દેશમાં એકસાથે પીકની શરૂઆત થઈ તે જ રીતે ગુજરાતમાં પણ છેલ્લા દસેક દિવસથી કોરોના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવી ગીચ વસ્તી ધરાવતાં શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધારે થાય છે.
નીતિન પટેલે જણાવ્યું કે એક સમયે ગુજરાતમાં ૭૦૦ કેસો આવતા હતા. અને અત્યારે ૨૨૦૦-૨૩૦૦ દર્દીઓ આવે છે. તેવામાં વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. વડોદરાની મીટિંગમાં તમામ મુદ્દે ચર્ચા થઈ હતી. અમે એક-એક વોર્ડ અને એક-એક હોસ્પિટલનો રિવ્યુ કરે છે. અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જે સ્થિતિ છે તેને લઈને જરૂરી નિર્ણયો કર્યા છે. અને આવતીકાલથી નવા નિર્ણયોનો અમલ થઈ જશે.
પ્રથમ નિર્ણયઃ ધનવંતરી રથ દ્વારા સમગ્ર શહેરોમાં ૨૦૦ જેટલી ટીમો બનાવી આરોગ્યની ચકાસણી કરવાનું કામ ચાલુ છે. વડોદરા શહેરમાં દરેક વિભાનસભા દીઠ અમદાવાદ, સુરતની જેમ બે કેમ્પ યોજવામાં આવશે. અને તેમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવશે. શહેરીજનો ધનવંતરી રથની સાથે કેમ્પ પર જઈને ટેસ્ટ કરાવી શકશે.
બીજો નિર્ણયઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર અતિથિગૃહમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો પૈકીના વ્યક્તિઓને શંકાસ્પદ લક્ષણો જણાય તો તેઓને હોસ્પિટલનાં બદલે કોવિડ કેર સેન્ટર બનાવીને સારવાર તેમજ જમવા સહિતની સુવિધાઓ આપવામાં આવશે. અને ડોક્ટરી તપાસમાં જેમને વધારે લક્ષણો હશે તેમને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. હાલમાં પ્રાથમિક લક્ષણો ધરાવતાં દર્દીઓ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જેને કારણે જરૂરિયાતવાળા દર્દીઓને બેડ મળતા ન હતા.

Related posts

શ્રેય અગ્નિકાંડ : ૩ દિવસ બાદ પણ એફઆઈઆર નહીં, કોને બચાવવા થઈ રહ્યા છે પ્રયાસ : કોંગ્રેસનાં સવાલો

Charotar Sandesh

મુંબઇ બાદ ગુજરાતનો વારો : ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…

Charotar Sandesh

ગુજરાતની પેટા ચૂંટણીની જાહેરાત થતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ફાફે ચડ્યા…

Charotar Sandesh