Charotar Sandesh
બોલિવૂડ

લતા મંગેશકરે રૂ. સાત લાખ મુખ્ય પ્રધાન રાહત ફંડમાં દાન કર્યા…

મુંબઇ : કોરોના વાયરસ મહામારીને લીધે રાજ્યમાં નિર્માણ પામેલી સ્થિતિને પહોંચી વળવા વિવિધ ક્ષેત્રો અને વ્યક્તિઓ તરફથી મુખ્ય પ્રધાન રહાત ફંડમાં દાન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરસામા્રજ્ઞી લતા મંગેશકરે પણ રૂ. સાત લાખનું દાન રાહત ફંડમાં કર્યું હતું. રાજ્યના જનસંપર્ક ખાતાએ ટ્‌વીટ કરી માહિતી શેર કરી હતી કે ભારતરત્ન લતા મંગેશકરે રૂ. સાત લાખનું દાન મુખ્ય પ્રધાન રાહત ફંડમાં કર્યું છે અને મુખ્ય પ્રધાને તેમની આ મદદ બદલ તેમનો આભાર માન્યો છે.
અગાઉ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ દાન કર્યું હતું અને લોકોને દાન કરવા અપીલ કરી હતી. ઘણાં અભિનેતાઓ સોશિયલ મીડિયાની મદદથી વ્યક્તિગત રીતે પણ જરૂરિયાતમંદો સુધી પહોંચી રહ્યા છે અને તેમને મદદ કરી રહ્યા છે. અભિનેતા વરૂણ ધવને ઈન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી કે તેણે ૩૦ મિત્ર સાથે મળી રૂ. ૨૧ કરોડનું ફંડ એકઠું કરી ૩૯૦૦ ઑક્સિજન કૉન્સન્ટ્રેશન લોકોને પહોંચાડ્યા છે. ફરહાન અખ્તરે પણ સામાજિક સંસ્થાઓને દાન કર્યાનું જણાવ્યું હતું. અક્ષય કુમારે ગર્ભવર્તી મહિલાઓ માટે દાન કર્યું હોવાનું જણાવ્યું હતું અને કોઈપણ ગર્ભવતી મહિલાને મદદ જોઈતી હોય તો મહિલા અને બાળ કલ્યાણ વિભાગના હેલ્પલાઈન નંબર પર મદદ માગવા જણાવ્યું હતું.

Related posts

તૈમુરને કારણે પાડોશીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન

Charotar Sandesh

દુનિયાને ત્રાહિમામ કરનાર દેશ વિરુદ્ધ કોઈ કેમ કશું બોલતું નથીઃ ઋચા ચઢ્ઢા

Charotar Sandesh

એક્ટર રણબીર કપૂર કોરોના પોઝિટિવ : એક્ટરની માતા નીતુ સિંહે કન્ફર્મ કર્યું…

Charotar Sandesh