આણંદ : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના દરેક જિલ્લામાંથી મોરચના પ્રદેશ પ્રમુખો સહિત કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી રહી છે, જેમાં આણંદ જિલ્લાના શ્રી હંસાકુંવરબા, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી જ્યોતિબેન શુક્લ, ડૉ. આશવભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી ,ગુજરાતના પ્રદેશ કારોબારી સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે.
તેમજ આણંદ જિલ્લાના મોભી, પથદર્શક, માર્ગદર્શક બની રહેલા શ્રી દીપકભાઈ સાથી, શ્રી અંબાલાલભાઈ રોહિત, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી મહેશભાઈ પટેલ, શ્રી પ્રતાપસિંહજી ગોહેલ નાઓની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- Jignesh Patel, Anand