પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે સોમવારે કÌšં કે, તે યુવા વિકેટકીપર રિષભ પંત ભારતની વિશ્વકપની ટીમમાંથી બહાર થવાથી હેરાન છે. તેમનું માનવું છે કે રિષભ પંત ઘણો ‘શાનદાર’ બટિંગ ફોર્મમાં છે અને તેણે વિકેટકીપિંગ કૌશલ્યમાં ઘણો સુધારો કર્યો છે.
૩૩ વર્ષના દિનેશ કાર્તિકે ભારતની વિશ્વ કપ માટે પસંદ કરાયેલી ૧૫ સભ્યોની ટીમમાં બીજા વિકેટકીપરના સ્થાન પર પંતને પછાડી દીધો છે. વિશ્વ કપ ૩૦ મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહ્યો છે. ગાવસ્કરે કÌšં કે, આ પગલું ચોંકાવનારૂ છે, પરંતુ તેમણે સારા વિકેટકીપર તરીકે કાર્તિકનું સમર્થન કર્યું છે.
ગાવસ્કરે કÌšં, પંતનું ફોર્મ જાતા આ થોડો ચોંકાવનારો નિર્ણય છે. તે માત્ર આઈપીએલમાં જ નહીં પરંતુ આ પહેલા પણ સારી બેટિંગ કરી રહ્યો હતો. તે વિકેટકીપિંગમાં પણ સુધાર કરી રહ્યો છે. તે ટોપ-૬માં ડાબા હાથનો બેટિંગ વિકલ્પ આપત જે બોલરો વિરુદ્ધ સારૂ હોત.
તેણે કÌšં, બોલરોએ ડાબા હાથના બોલરો માટે પોતાની લાઇન અને લેન્થમાં ફેરફાર કરવો પડે અને કેપ્ટનને મેદાનમાં ઘણી વ્યવસ્થા કરવાની હોય છે.