Charotar Sandesh
ગુજરાત સ્પોર્ટ્સ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T-20 મેચ જોવા માટે ૫૦ ટકા દર્શકોને જ મળશે મંજૂરી…

અમદાવાદ : આજથી અમદાવાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ સીરિઝ શરૂ થઈ રહી છે. તે પહેલા ય્ઝ્રછ દ્વારા સ્ટેડિયમની ૫૦ ટકા બેઠકો ભરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ ફરીવાર ચિંતા વધારી છે. તો આ તરફ કોરોના મહામારી વચ્ચે આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ સીરિઝ શરૂ થઈ રહી છે. ત્યારે GCA દ્વારા કોરોનાને ધ્યાને રાખીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પહેલા ખીચોખીચ સ્ટેડિયમ ભરવાની વાત હતી પરંતુ કોરોના સંકટ વધતા અને વિરોધ થતાં જીસીએ દ્વારા સ્ટેડિયમની ૫૦ ટકા બેઠકો જ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો મેચ શરૂ થતાં પહેલા સમગ્ર સ્ટેડિયમને સેનેટાઈઝ કરાયું છે અને કોવિડ ગાઇડલાઇનનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે.

Related posts

CM ભૂપેન્દ્ર પટેલે IPL વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીત કર્યા, જુઓ તસ્વીરો

Charotar Sandesh

પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, આ બે શહેરોને ૪ મોટી ભેટ : જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

Charotar Sandesh

ગાંગુલી-શાહનો કાર્યકાળ વધારવા સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યુ બીસીસીઆઇ…

Charotar Sandesh