Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નડિયાદનો સીઆરપીએફ જવાન શ્રીનગરમાં શહીદ, અંતિમ વિદાયમાં ગામ હિબકે ચઢ્યું…

નડિયાદ : નડિયાદના સીઆરપીએફ જવાનનું હૃદય રોગના હુમલામાં નિધન થયું છે. શ્રીનગરના કુપડવાડામાં ફરજ દરમિયાન નડિયાદ શહેરમાં રહેતાં દિનેશભાઇ કેશવભાઇ મેટકરનું નિધન થયું હતું. આજે દિનેશભાઇના નશ્વર દેહને નડિયાદ લાવવામાં આવ્યો હતો અને સંપૂર્ણ સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ વખતે આખું ગામ હિબકે ચઢ્યું હતું.
નડિયાદ શહેરના એસઆરપી સામે રહેતા દિનેશભાઇ કેશવભાઇ મેટકર શ્રીનગરના કુપડવાડામાં સીઆરપીએફમાં ફરજ નીભાવી રહ્યા હતા. શ્રીનગરમાં પોતાની ફરજ પર હાજર હતા તે સમયે તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જે બાદ તેઓને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પણ હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું.
દિનેશભાઈનાં નિધનની જાણ નડિયાદ સ્થિત પરિવારજનોને કરવામાં આવતાં તેમનાં સ્વજનો ભાંગી પડ્યા હતા. અને પરિવારના માથે આભ ફાટી પડ્યું હતું. દિનેશભાઇના નશ્વર દેહને નડિયાદ લાવવામાં આવ્યો હતો. ત્રિરંગામાં લપેટાઈને દિનેશભાઈનો નશ્વર દેહ પહોંચતાં જ ગામમાં શોકનું લાગણી ફેલાઈ ગઈ હતી. પરિવારમાં માતમનો માહોલ હતો. પરિવારજનોનાં આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. આજે સંપૂર્ણ સન્માન સાથે દિનેશભાઈને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

Related posts

પોતાના પર હુમલો થવાની આશંકાના પગલે કોંગ્રેસ નેતા ભરતસિહ સોલંકીને પોલીસ દ્વારા સુરક્ષા અપાઇ

Charotar Sandesh

આણંદ-નડિયાદ સહિત છ રેલ્વે સ્ટેશનોમાં પ્લેટફોર્મ ટિકિટમાં એકાએક વધારો કરાયો, જાણો

Charotar Sandesh

ઉમરેઠ બેઠક પર હારેલ ઉમેદવાર NCPના જયંત બોસ્કીએ હારનું મુખ્ય કારણ જણાવ્યું, જુઓ

Charotar Sandesh