Charotar Sandesh
ગુજરાત

પત્નિ કહ્યામાં નથી, કોઇ લેવડ-દેવડ ના કરવી : ભરતસિંહ સોલંકીએ જાહેર નોટિસ બહાર પાડી

ભરતસિંહ સોલંકી
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પત્નિ વિરુદ્ધ જાહેર નોટિસ બહાર પાડી

ગાંધીનગર : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફત એક જાહેર નોટિસ પાઠવી છે કે તેમનાં પત્ની રેશ્મા પટેલ છેલ્લાં ચાર વર્ષથી તેમની સાથે રહેતાં નથી અને તેમના કહ્યામાં નથી. ભરતસિંહ સોલંકીએ નોટિસમાં જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિએ પત્ની સાથે તેમના નામનો ઉપયોગ કરી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. જો આમ થશે તો ભરતસિંહ એ માટે જવાબદાર રહેશે નહીં.

તેમણે કહ્યું, ‘અમારી વચ્ચે લાંબા સમયથી મનમેળ ન હતો અને તેઓ મનસ્વી વર્તન કરતાં હતાં. મારા ઘરે આવીને રહે તોપણ કોઈ વાતચીત કરતાં નહીં. શરૂઆતમાં મેં સમજાવટથી સમાધાન લાવવા પ્રયાસ કર્યો, પરંતુ તેમ થયું નથી. એ પછી તેમના કુટુંબીઓની મધ્યસ્થી કરાવી છતાં પરિણામ ન મળ્યું. મને ખ્યાલ નથી કે તેઓ ભવિષ્યમાં શું કરવા માગે છે, મને કોઈ રીતે તકલીફ પહોંચે એવું તેઓ કરવાનાં હોય એવો ભય છે.’

સોલંકીએ કહ્યું હતું કે મેં છૂટાછેડા લેવા પણ કહ્યું હતું, પરંતુ એ અંગે તેમણે સંમતિ આપી ન હતી. મેં તેમને રહેવા માટે બંગલો, ગાડી, માસિક એકથી દોઢ લાખની આવક થતી રહે એવી સગવડ કરી આપી છે, પરંતુ તેમના પર કોઈ હકારાત્મક અસર થઈ ન હતી. અમારા સંબંધોની તિરાડ વધુ મોટી થતી જતી હતી, તેથી મેં આમાંથી બહાર નીકળવા કોઈ રસ્તો શોધવા પ્રયત્ન શરૂ કર્યો. આ વાતથી મને વ્યક્તિગત રીતે નુકસાન થવાનો ભય છે, પરંતુ મારા માટે જે ઓછું નુક્સાનકર્તા હોય એવું પગલું ભરવા માટે મને આ રસ્તો યોગ્ય લાગ્યો, તેથી મેં નોટિસ મોકલી છે.

Other News : C-પ્લેન આઠ મહિનામાં આઠ વખત પણ ન ઉડ્યું : મોઢવાડિયાના સરકાર પર પ્રહાર

Related posts

લોકડાઉનની વચ્ચે કેટલીક શરતો સાથે આવતીકાલ સોમવારથી અર્થતંત્ર પુનઃ ધબકતું થશે…

Charotar Sandesh

મંગળ બન્યો અમંગળ : જુદા જુદા અકસ્માતમાં ૧૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા…

Charotar Sandesh

અમદાવાદમાં આઈપીએલની ફાઈનલ મેચ નિહાળવા ગૃહમંત્રી અમિત શાહ સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે : જુઓ તૈયારીઓ

Charotar Sandesh