આણંદ : અમૃત મહોત્સવ અંતર્ગત આણંદ જિલ્લાના રાસ મુકામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, આણંદ જીલ્લા મહામંત્રી શ્રી મયુરભાઈ સુથાર,જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી રીટાબેન, શ્રીમતી હંસાબેન, શ્રીમતી સપનાબેન, શ્રીમતી વિમળાબેન, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી તરુલતાબેન પટેલ, શ્રીમતી રેખાબેન પટેલ તથા શ્રી કિર્તીસિંહ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, રાસ ગામના સરપંચ શ્રીમતી જયાબેન પટેલ, રાસ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી ઠાકોરભાઈ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.