Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ઇલેકટ્રોનિક ઉપકરણો, વાહનો પર પ્રતિબંધ…

મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈ પક્ષ ઉમેદવારનું નામ, પ્રતિક, સંજ્ઞા કે કોઈ લખાણ સાહિત્ય, બેનર, કટઆઉટ, પોસ્ટર રાખી શકશે નહી…

આણંદ : રાજ્ય ચુંટણી આયોગ દ્વારા રાજ્યમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને નગર પાલીકાઓની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ તા. ૨૮ ફેબ્રુઆરી ના રોજ યોજાઈ રહી છે. જે અન્વયે આણંદ જિલ્લાની જિલ્લા પંચાયત, આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૮ તાલુકા પંચાયતો આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ, સોજીત્રા તથા ૬ નગર પાલિકાઓ આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજીત્રાની સામાન્ય ચુંટણી તેમજ કરમસદ નગર પાલિકાની વોર્ડ નં.૧ની પેટા ચુંટણી નું મતદાન ૨૮ ફેબ્રુઆરી ના રોજ છે. મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ ૨હે તથા મતદાન મથકોની આજુબાજુમાં ’કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તેના કોઈ પ્રત્યાધાત ન પડે તેમજ મતદાન શાંતિ રીતે પુર્ણ થાય તે માટે આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.સી.ઠાકોરે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ તા.૨૮/૨/૨૦૨૧ ના રોજ મતદાનના દિવસે રાજય ચૂંટણી પંચ, ગાંધીનગર દ્વારા માન્ય થયેલ મતદાન મથકોના સંદર્ભે હુકમ ફરમાવેલ છે.

મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં કોઈપણ વ્યકિતને (૧) મત માટે પ્રચાર કરવો ,(૨) મતદારોને ધાકધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા. (૩) કોઈ મતદારને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી. (૪) અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઈ મતદારને સમજાવવા. (૫) કોઈ મતદારને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા. (૬) ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિતકરવી, (૭) સેલ્યુલર/મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને સંદેશા વ્યવહાર કે રેકોર્ડીંગ થઈ શકે તેવા અન્ય કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનિક ઉપકરણો લઈ જવા. (૮) વાહનો સાથે આવવા વગેરે ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં પ્રચાર અંગેનું કોઈપણ સાહિત્ય, બેનર, કટઆઉટ, પોસ્ટર રાખી શકશે નહી.તેમજ મતદાનના સમય દરમ્યાન મતદાન એજન્ટ મતદાર યાદીની નકલ મતદાન મથકની બહાર લઈને જઈ શકશે નહીં.આ જાહેરનામુ ચૂંટણી હેઠળના આણંદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકા મત વિસ્તારના મુકરર થયેલ તમામ મતદાન મથકોના સમગ્ર વિસ્તારને લાગુ પડશે ની માહિતી પ્રાપ્ત થઈ છે.

Related posts

ચરોતરમાં નવલી નવરાત્રિ ઉત્સવની આજથી ભવ્ય શરૂઆત : ખૈલાયાઓ ગરબે ઘૂમશે….

Charotar Sandesh

અડાસ ગામે શિક્ષકો અને ગ્રામજનોનો નવતર પ્રયોગ : પાંચ હજાર વૃક્ષો રોપણ કરવાનો નિર્ધાર…

Charotar Sandesh

૧૮મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અડાસ રેલ્વે સ્ટેશને સર્જાયેલો શહાદતનો ઈતિહાસ…!!

Charotar Sandesh