Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આજથી મોડી સાંજ પછી સીધી સવાર..! શહેરમાં રાત્રે ૮ થી સવારે ૬નો કફર્યુ શરૂ થશે…

આણંદ : કોરોનાથી ખૂબ સંક્રમિત વિસ્તારોમાં લોકડાઉનની જરૂર હોવાના મત વચ્ચે રાજય સરકારે ૨૦ શહેરોમાં રાત્રે ૮થી સવારે ૬ સુધીનો કર્ફયુ મૂકી દીધો છે. જેના પગલે હવે આણંદ, નડિયાદ, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, જામનગર, એમ સૌરાષ્ટ્રના ચારે કોર્પોરેશન વિસ્તાર મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભૂજ અને ગાંધીધામ શહેરમાં આજે રાત્રીના ૮ વાગ્યાથી સોંપો પડી જશે.

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં કફર્યુ શરૂ થશે…

આ શહેરોમાં કોરોના સંક્રમણ કાબુ બહાર થઇ ગયાની સ્થિતિ છે. આણંદ શહેરમાં હવે રાત્રે ૮ વાગ્યાથી કર્ફ્યુ શરૂ થઇ જશે. એટલે કે રાત્રે ૮ વાગ્યે સોંપો પડતા પૂર્વે ૭ વાગ્યાથી બજારો ખાલી થવા લાગશે એ લોકો માટે જરૂરી છે.

  • લગ્નમાં માત્ર ૧૦૦ જણાને મંજૂરી : ૩૦ એપ્રિલ સુધી સરકારી કચેરીઓમાં શનિ રવિ રહેશે રજા…
  • રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રે ૮ થી સવારે ૬ સુધી કરફ્યુ : ૩૦ એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે…
  • શા માટે ગુજરાત સરકારે લોકડાઉન લાદયું નહી…?

    હાઈકોર્ટની સલાહ પણ સરકારના તેના કારણો અલગ છેઃથોડા દિવસો પણ લોકડાઉનથી વ્યાપાર-ઉદ્યોગને માઠી અસર થઈ શકે છે : પરપ્રાંતીયની હિજરત સૌથી મોટી ચિંતાઃ લોકડાઉનમાં લોકો સોસાયટી-શેરીઓમાં એકત્ર થશે તો સંક્રમણ વધશે : સરકારને આરોગ્ય સેવાઓ પર વધુ વિશ્ર્‌વાસ : ગત વર્ષ કરતા ડબલ બેડ ઉપલબ્ધ : વેન્ટીલેટરની કમીથી લોકો જો સંયમ રાખશે તો કોરોનાને પાછો ધકેલી શકાશે.

Related posts

દર વર્ષની જેમ અનોખી રીતે થર્ટી ફસ્ટની ઉજવણી કરતા આણંદના કાઉન્સીલર ડો.પલક વર્મા

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતિયોને વતન જવા કાર્યવાહીનો પ્રારંભ : ૫૩૧૬નું રજિસ્ટ્રેશન થયું…

Charotar Sandesh

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી આણંદ દ્વારા કમ્બાઈન વાર્ષિક તાલીમ શિબિરની પૂર્ણાહુતિ…

Charotar Sandesh