મધ્ય પ્રદેશની ભોપાલ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને આજે ત્રણ દિવસ બાદ પ્રચાર માટેની મંજૂરી મળી છે પરંતુ તેમને ચૂંટણી પંચે એક નોટિસ પણ ફટકારી છે. ચૂંટણી પ્રચારના પ્રતિબંધ દરમિયાન સાધ્વી પ્રજ્ઞા સતત મંદિર જતા હતા અને ભજન-કિર્તન કરતા હતા જેને લઇને ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાને નોટિસ આપી છે.